Headlines

ઇતિહાસના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો: ઈરાનની રાજધાની તેહરાનમાં પીવાનું પાણી ખતમ થવાની અણી પર; ડેમમાં 10%થી ઓછું ‘મૃત જળ’

ઇરાન: મધ્ય પૂર્વમાં આવેલું ઈરાન હાલમાં તેના ઇતિહાસના છ દાયકાના સૌથી ભીષણ દુષ્કાળના આરે ઊભું છે, જેના કારણે રાજધાની તેહરાનમાં પીવાનું પાણી લગભગ ખતમ થવાની અણી પર છે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ગંભીર ચેતવણી આપી છે કે જો નવેમ્બરના અંત સુધીમાં પૂરતો વરસાદ નહીં થાય, તો સરકારે પાણીની સપ્લાય મર્યાદિત કરવી પડશે અને જો પરિસ્થિતિ વધુ…

Read More

જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતા મામલો બિચક્યો, આપ નેતાઓએ કાર્યકરને લમધારી નાખ્યો

જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. જૂતા ફેકનારને સારવાર અર્થે ખસેડાયોછત્રપાલસિંહ જાડેજા નામના…

Read More

ઇન્ડિગો ઇમર્જન્સીથી રાજ્યમાં 155 ફ્લાઇટ કેન્સલ, અન્ય એરલાઈન્સના ભાડા બમણાં:અમદાવાદથી મુંબઇ જતાં વરરાજા એરપોર્ટ પર જ અટવાયા, કહ્યું- ટેક્સીવાળા ₹30 હજાર ભાડું માગે છે

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ ઇન્ડિગોએ મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે 15 ડિસે. સુધીમાં…

Read More

દયાભાવ રાખવો ભારે પડ્યો! આશરો આપેલ મિત્રએ જ વિશ્વાસઘાત કર્યો: વડોદરામાં પતિ-મિત્રના આડાસંબંધથી મહિલાના લગ્ન તૂટવાની અણી પર

વડોદરા: મદદના બદલે સંબંધોમાં ભંગાણ વડોદરા: એક દયાભાવના કૃત્યની શરૂઆત શહેરની એક મહિલા માટે તેના લગ્નજીવનના અંતનું કારણ બની હોત. સમા વિસ્તારની રહેવાસી નીતા (નામ બદલ્યું છે)એ 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો, જ્યારે તેને જાણ થઈ કે તેના પતિએ તેની અંગત મિત્ર સાથે જ આડાસંબંધ વિકસાવ્યા હતા – એ જ મિત્ર જેને નીતાએ મદદ કરવા…

Read More

Reserve Bank of India દ્વારા બૅન્કો માટે નવા ડોમેન્સ  “.bank.in” ની ફરજ, ઓનલાઇન ફ્રોડ ઘટાડવાનો ઉદેશ્ય.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ તમામ જાહેર, ખાનગી અને સહકારી બેંકોને સૂચના આપી છે કે તેમને પોતાની નેટ-બૅંકિંગ વેબસાઇટ્સ “.bank.in” ડોમેન હેઠળ ટ્રાન્સફર કરવાની છે, અને આ પ્રક્રિયા ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી પૂર્ણ થવી જોઈએ. પોતાના ગ્રાહકોને સાચી બેન્કિંગ સાઇટ ઓળખવામાં સરળતા આપવી, કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં “.com”, “.in”, “.co.in” જેવી અનેક ડોમેન્સ છે, જેને…

Read More

કોહલી-ઋતુરાજની સદી વેડફાઈ: 358/5 બનાવીને પણ ભારત હાર્યું, સિરીઝ 1-1

359 રન પણ ન બચાવી શકી ટીમ ઈન્ડિયા… સાઉથ આફ્રિકાએ રાયપુરમાં ધોઈ નાખ્યું! ∼ બીજી ODI: ભારત 358/5 હારી ગયું 4 વિકેટે ભાઈ, આજે ક્રિકેટના ભગવાન પણ ચૂપ થઈ ગયા હશે! વિરાટ-ઋતુરાજની સદી, કેએલની ફિફ્ટી, 358 રનનો પહાડ… અને છતાંય 50મી ઓવરમાં હાર! 💔 5 એન્ટે જે થયું એની ટૂંકી કહાણી રેકોર્ડની વર્ષા થઈ ગઈ…

Read More

સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે:IIT મુંબઈ અને IIT રુરકીની ટીમ ઈન્સ્પેક્સન કરશે, સંપૂર્ણ તપાસ કરાયા બાદ બ્રિજ અંગે અંતિમ નિર્ણય કરાશે

અમદાવાદના મુખ્ય સુભાષ બ્રિજમાં સુપર સ્ટ્રક્ચરને નુકસાનની શંકા સામે આવતાં તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ 25 ડિસેમ્બર, 2025 સુધી બંધ રહેશે, જે દરમિયાન નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય બ્રિજની સુરક્ષા અને વધુ તપાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. એક્સપર્ટ દ્વારા ટેસ્ટિંગની કામગીરી…

Read More

તિરૂપતિ મંદિર ‘પ્રસાદ કૌભાંડ’: 5 વર્ષમાં ₹250 કરોડનું 68 લાખ કિલો નકલી ઘી

શના સૌથી ધનિક મંદિર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના પવિત્ર લાડુ પ્રસાદમાં છેલ્લા પાંચ વર્ષથી ભયાનક છેતરપિંડી થઈ રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો CBIએ કર્યો છે. ઉત્તરાખંડની ‘ભોલે બાબા ઓર્ગેનિક ડેરી’એ દૂધ કે માખણ ખરીદ્યા વિના પામ ઓઈલ અને રસાયણોનો ઉપયોગ કરીને બનાવેલું 68 લાખ કિલો નકલી ઘી ₹250 કરોડના ખર્ચે TTD ને સપ્લાય કર્યું હતું….

Read More

ધુરંધર ફિલ્મના ડાયલોગ સામે બલોચ સમાજ હાઈકોર્ટ પહોંચ્યો:સમુદાય સામે અપમાનજનક ટિપ્પણી, સંજય દત્તનો ડાયલોગ હટાવો અથવા મ્યૂટ કરો; ફિલ્મમેકરો જાહેર માફી માગે

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનનાસ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર, જીયો સ્ટુડિયો, CBFC, બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વગેરેને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરી છે. અરજદાર પૈકી એક ઉતર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. ફિલ્મનો…

Read More