Headlines

અમદાવાદમાં ચાર યુવતીઓ વચ્ચે મારામારી, જાહેરમાં તમાશો:યુવકે યુવતીને આગળ બેસાડી જોખમી રીતે એક્ટિવા ચલાવ્યું, કાયદાના લીરેલીરા ઉડાવતા 3 વીડિયો સામે આવ્યા

અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વાઇરલ થયેલા ત્રણ વીડિયો સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં સિંધુભવન રોડ ઉપર એક બાઈક પર બે યુવકો જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જ્યારે સિંધુભવન રોડ પરના બીજા વીડિયોમાં યુવતીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ હતી. જ્યારે ત્રીજા વીડિયોમાં એક એક્ટિવા પર યુવકે જોખમકારક રીતે યુવતીને બેસડાઈ વાહન ચલાવી…

Read More
“રાજપાલ યાદવ સંત પ્રેમાનંદ મહારાજને મળતા – વૃંદાવન 2025”

રાજપાલ યાદવ પ્રેમાનંદ મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યા, મહારાજ ખડખડાટ હસી પડ્યા

કોમેડી એક્ટર રાજપાલ યાદવ તાજેતરમાં વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા. તેમની મજાકભરી વાતોથી મહારાજ ખડખડાટ હસ્યા અને એક્ટરનો વખાણ કર્યો. જાણો કોને મળ્યા, શું વાતો થઈ અને રાજપાલની ફિલ્મી કારકિર્દી વિશે વિશેષ. રાજપાલ યાદવની યાદગાર મુલાકાત કોમેડી એક્ટર રાજપાલ યાદવ તાજેતરમાં વૃંદાવન પહોંચ્યા, જ્યાં તેમણે સંત પ્રેમાનંદ મહારાજને મળવાનો ગૌરવપ્રાપ્ત અવસર લીધો. મુલાકાત દરમિયાન રાજપાલની…

Read More

‘2029માં પણ મોદી જ PM, રાહુલ બાબા હારથી ન થાકો’:શાહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- જનતાને જે ગમે, તેનો વિરોધ કરો, તો મત ક્યાંથી મળે; 27 કિમી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ

અમિત શાહે પ્રહાર કરતાં કહ્યું, રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી પણ નથી. જેને પોતાની પાર્ટી વાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિમી લાંબી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ…

Read More

‘ઉસ્ત્રાસે પંગા નહીં લેને કા, શરીરસે આત્મા કાટ લેતા હૈ’:શાહિદ-તૃપ્તિની લોહીયાળ લવસ્ટોરી; દમદાર ડાયલોગ્સ, એક્શનથી ભરપૂર ‘ઓ રોમિયો’નું ટ્રેલર રિલીઝ

શાહિદ કપૂર-તૃપ્તિ ડિમરીની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 3.8 મિનિટ લાંબા આ ટ્રેલરમાં રોમાન્સ, લાગણીઓ, જુસ્સો, છેતરપિંડી, બદલો, હિંસા, લોહિયાળ દ્રશ્યો અને દમદાર ડાયલોગ્સ છે. ‘ઓ રોમિયો’ માત્ર લવ સ્ટોરી નહીં પરંતુ જુસ્સો અને બલિદાનની વાર્તા હોય તેવું ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે. ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના…

Read More

દયાભાવ રાખવો ભારે પડ્યો! આશરો આપેલ મિત્રએ જ વિશ્વાસઘાત કર્યો: વડોદરામાં પતિ-મિત્રના આડાસંબંધથી મહિલાના લગ્ન તૂટવાની અણી પર

વડોદરા: મદદના બદલે સંબંધોમાં ભંગાણ વડોદરા: એક દયાભાવના કૃત્યની શરૂઆત શહેરની એક મહિલા માટે તેના લગ્નજીવનના અંતનું કારણ બની હોત. સમા વિસ્તારની રહેવાસી નીતા (નામ બદલ્યું છે)એ 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો, જ્યારે તેને જાણ થઈ કે તેના પતિએ તેની અંગત મિત્ર સાથે જ આડાસંબંધ વિકસાવ્યા હતા – એ જ મિત્ર જેને નીતાએ મદદ કરવા…

Read More

PM મોદી અને અદાણીનો ડીપફેક વીડિયો 48 કલાકમાં હટાવવા આદેશ:જયરામ રમેશ, પવન ખેડા સહિતના કોંગ્રેસ નેતાઓને અમદાવાદ સિવિલ કોર્ટની શો-કોઝ નોટિસ

અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવાના જવાબમાં અમદાવાદ જિલ્લા સિવિલ કોર્ટે કોંગ્રેસ અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ડીપફેક વીડિયો 48 કલાકમાં દૂર કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે INC અને તેના નેતાઓને 29 ડિસેમ્બર…

Read More

તિરૂપતિ મંદિર ‘પ્રસાદ કૌભાંડ’: 5 વર્ષમાં ₹250 કરોડનું 68 લાખ કિલો નકલી ઘી

શના સૌથી ધનિક મંદિર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના પવિત્ર લાડુ પ્રસાદમાં છેલ્લા પાંચ વર્ષથી ભયાનક છેતરપિંડી થઈ રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો CBIએ કર્યો છે. ઉત્તરાખંડની ‘ભોલે બાબા ઓર્ગેનિક ડેરી’એ દૂધ કે માખણ ખરીદ્યા વિના પામ ઓઈલ અને રસાયણોનો ઉપયોગ કરીને બનાવેલું 68 લાખ કિલો નકલી ઘી ₹250 કરોડના ખર્ચે TTD ને સપ્લાય કર્યું હતું….

Read More

Reserve Bank of India દ્વારા બૅન્કો માટે નવા ડોમેન્સ  “.bank.in” ની ફરજ, ઓનલાઇન ફ્રોડ ઘટાડવાનો ઉદેશ્ય.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ તમામ જાહેર, ખાનગી અને સહકારી બેંકોને સૂચના આપી છે કે તેમને પોતાની નેટ-બૅંકિંગ વેબસાઇટ્સ “.bank.in” ડોમેન હેઠળ ટ્રાન્સફર કરવાની છે, અને આ પ્રક્રિયા ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી પૂર્ણ થવી જોઈએ. પોતાના ગ્રાહકોને સાચી બેન્કિંગ સાઇટ ઓળખવામાં સરળતા આપવી, કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં “.com”, “.in”, “.co.in” જેવી અનેક ડોમેન્સ છે, જેને…

Read More

રાજપીપળામાં 40થી વધુ વાઘના ચામડા મળ્યા:મંદિરના જૂના મકાનમાંથી 37 આખા વાઘના ચામડા, 133 જેટલા વાઘના નખ મળ્યાં; ગુજરાતમાં પ્રથમ ઘટના

નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. મંદિરના જૂના મકાનમાંથી દુર્ગંધ આવતા વનવિભાગને જાણ કરાઈ રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે…

Read More

લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ અફરાતફરી, સમગ્ર દિલ્હીમાં હાઈઍલર્ટ

રાજધાની દિલ્હીમાં આજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં રોડ પર ઊભેલી એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી; વિસ્ફોટ બાદ લાગેલી ભીષણ આગમાં આસપાસ ઊભેલી અન્ય ત્રણ કાર પણ બળીને ખાક થઈ ગઈ હતી અને પ્રાથમિક અહેવાલ મુજબ બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા…

Read More