Headlines

Dhindhora@2025

હર્ષવર્ધન રાણેની ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ હિટ બાદ ફી પાંચ ગણો વધી, હવે એક ફિલ્મ માટે માગી 10 કરોડ રૂપિયા!

બોલીવુડ અભિનેતા હર્ષવર્ધન રાણે આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ *‘એક દીવાને કી દીવાનિયત’*ની સફળતા માટે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરતાં તેની લોકપ્રિયતા અને ડિમાન્ડમાં જબરદસ્ત વધારો નોંધાયો છે.રિપોર્ટ મુજબ, હર્ષવર્ધને આ ફિલ્મ માટે માત્ર બે થી ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, પરંતુ હવે તેની ફી પાંચ ગણો વધી ગઈ…

Read More

લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ અફરાતફરી, સમગ્ર દિલ્હીમાં હાઈઍલર્ટ

રાજધાની દિલ્હીમાં આજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં રોડ પર ઊભેલી એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી; વિસ્ફોટ બાદ લાગેલી ભીષણ આગમાં આસપાસ ઊભેલી અન્ય ત્રણ કાર પણ બળીને ખાક થઈ ગઈ હતી અને પ્રાથમિક અહેવાલ મુજબ બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા…

Read More

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ગંભીર, ICU માં ખસેડાયા; વેન્ટિલેટર સપોર્ટ પર સારવારના અહેવાલો

બોલિવૂડના દિગ્ગજ ‘હી-મેન’ અભિનેતા ધર્મેન્દ્ર (ઉંમર 89) ની તબિયત લથડતાં તેમને છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં 10 નવેમ્બરની સવારે તેમની સ્થિતિ વધુ ગંભીર થતાં તેમને ICU માં ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના હવાલેથી અહેવાલ મળી રહ્યા છે કે શ્વાસ સંબંધિત તકલીફોને કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે,…

Read More

તિરૂપતિ મંદિર ‘પ્રસાદ કૌભાંડ’: 5 વર્ષમાં ₹250 કરોડનું 68 લાખ કિલો નકલી ઘી

શના સૌથી ધનિક મંદિર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના પવિત્ર લાડુ પ્રસાદમાં છેલ્લા પાંચ વર્ષથી ભયાનક છેતરપિંડી થઈ રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો CBIએ કર્યો છે. ઉત્તરાખંડની ‘ભોલે બાબા ઓર્ગેનિક ડેરી’એ દૂધ કે માખણ ખરીદ્યા વિના પામ ઓઈલ અને રસાયણોનો ઉપયોગ કરીને બનાવેલું 68 લાખ કિલો નકલી ઘી ₹250 કરોડના ખર્ચે TTD ને સપ્લાય કર્યું હતું….

Read More

દયાભાવ રાખવો ભારે પડ્યો! આશરો આપેલ મિત્રએ જ વિશ્વાસઘાત કર્યો: વડોદરામાં પતિ-મિત્રના આડાસંબંધથી મહિલાના લગ્ન તૂટવાની અણી પર

વડોદરા: મદદના બદલે સંબંધોમાં ભંગાણ વડોદરા: એક દયાભાવના કૃત્યની શરૂઆત શહેરની એક મહિલા માટે તેના લગ્નજીવનના અંતનું કારણ બની હોત. સમા વિસ્તારની રહેવાસી નીતા (નામ બદલ્યું છે)એ 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો, જ્યારે તેને જાણ થઈ કે તેના પતિએ તેની અંગત મિત્ર સાથે જ આડાસંબંધ વિકસાવ્યા હતા – એ જ મિત્ર જેને નીતાએ મદદ કરવા…

Read More

અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘શ્રમિક આક્રોશ રેલી’ સાથે સરકારને સીધો પડકાર

ભારતીય મજદૂર સંઘ (BMS) ના નેજા હેઠળ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક જબરજસ્ત શ્રમિક આક્રોશ રેલી યોજાઈ. આંગણવાડી વર્કર, આશા વર્કર અને બોર્ડ-નિગમના કર્મચારીઓ સહિત હજારોની સંખ્યામાં એકઠા થયેલા શ્રમિકોએ વેતન વધારો, ₹25 લાખ સુધીની ગ્રેચ્યુઇટી, અને આંગણવાડી કર્મચારીઓને BLOની ફરજમાંથી મુક્તિ આપવા જેવી લાંબા સમયથી પડતર માંગણીઓ સાથે સરકાર સામે સીધો મોરચો માંડ્યો…

Read More

મતદાર યાદીમાં ભૂલ સુધારવા માટે દોડવું નહીં પડે: ચૂંટણી પંચે BLO કોલ બુકિંગ સુવિધા દ્વારા ઘરઆંગણે સેવા શરૂ કરી.

ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મતદાર યાદી સુધારણા (Voter List Correction) માટે નાગરિકોને તેમના બૂથ લેવલ ઓફિસર (Booth Level Officer – BLO) સાથે સીધો સંપર્ક કરાવવા માટે ‘Book-a-Call with BLO’ નામની એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને તમે BLO સાથે કોલ બુક કરાવી શકો છો….

Read More

ગુજરાતી લોકસંસ્કૃતિના પ્રણેતા અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન

અમદાવાદ: ગુજરાતના અગ્રણી લોકસાહિત્યકાર અને લોકસંસ્કૃતિના પ્રણેતા જોરાવરસિંહ જાદવનું શુક્રવારે શહેરમાં અવસાન થયું. પદ્મશ્રી પુરસ્કૃત જાદવ 85 વર્ષના હતા. તેમના પરિવારના સભ્યોએ મીડિયાને જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા અને કેટલીક તકલીફોને કારણે તેમને બે વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શહેરના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે…

Read More