Headlines

માયાભાઈ આહીરના પુત્રની SITએ સાડા ત્રણ કલાક પૂછપરછ કરી:જયરાજે કહ્યું- ‘મને જે સવાલ કરાયા તેના જવાબ આપ્યા’, બગદાણા હુમલા કેસમાં નવાજૂનીના એંધાણ

બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતા SIT સમક્ષ હાજર થયા હતા. બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT દ્વારા જયરાજ આહીરની સાડા ત્રણ કલાક લાંબા મેરેથોન પૂછપરછ કરી હતી. SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT…

Read More

રાજપીપળામાં 40થી વધુ વાઘના ચામડા મળ્યા:મંદિરના જૂના મકાનમાંથી 37 આખા વાઘના ચામડા, 133 જેટલા વાઘના નખ મળ્યાં; ગુજરાતમાં પ્રથમ ઘટના

નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. મંદિરના જૂના મકાનમાંથી દુર્ગંધ આવતા વનવિભાગને જાણ કરાઈ રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે…

Read More

મુંબઈના સિંગર પર અમદાવાદમાં હુમલો:કાનનો પડદો ફાટ્યો, મોઢે ટાંકા આવ્યા; સોંગ ક્રેડિટની અદાવતમાં ગુજરાતી સિંગર સહિત 6 લોકો હથિયાર વડે તૂટી પડ્યા

અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં કરાયેલા આ હુમલામાં હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અને કાનનો પડદો ફાટી જતાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે…

Read More

અમદાવાદમાં ચાર યુવતીઓ વચ્ચે મારામારી, જાહેરમાં તમાશો:યુવકે યુવતીને આગળ બેસાડી જોખમી રીતે એક્ટિવા ચલાવ્યું, કાયદાના લીરેલીરા ઉડાવતા 3 વીડિયો સામે આવ્યા

અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વાઇરલ થયેલા ત્રણ વીડિયો સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં સિંધુભવન રોડ ઉપર એક બાઈક પર બે યુવકો જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જ્યારે સિંધુભવન રોડ પરના બીજા વીડિયોમાં યુવતીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ હતી. જ્યારે ત્રીજા વીડિયોમાં એક એક્ટિવા પર યુવકે જોખમકારક રીતે યુવતીને બેસડાઈ વાહન ચલાવી…

Read More

ધુરંધર ફિલ્મના ડાયલોગ સામે બલોચ સમાજ હાઈકોર્ટ પહોંચ્યો:સમુદાય સામે અપમાનજનક ટિપ્પણી, સંજય દત્તનો ડાયલોગ હટાવો અથવા મ્યૂટ કરો; ફિલ્મમેકરો જાહેર માફી માગે

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનનાસ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર, જીયો સ્ટુડિયો, CBFC, બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વગેરેને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરી છે. અરજદાર પૈકી એક ઉતર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. ફિલ્મનો…

Read More

સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે:IIT મુંબઈ અને IIT રુરકીની ટીમ ઈન્સ્પેક્સન કરશે, સંપૂર્ણ તપાસ કરાયા બાદ બ્રિજ અંગે અંતિમ નિર્ણય કરાશે

અમદાવાદના મુખ્ય સુભાષ બ્રિજમાં સુપર સ્ટ્રક્ચરને નુકસાનની શંકા સામે આવતાં તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ 25 ડિસેમ્બર, 2025 સુધી બંધ રહેશે, જે દરમિયાન નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય બ્રિજની સુરક્ષા અને વધુ તપાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. એક્સપર્ટ દ્વારા ટેસ્ટિંગની કામગીરી…

Read More

ઇન્ડિગો ઇમર્જન્સીથી રાજ્યમાં 155 ફ્લાઇટ કેન્સલ, અન્ય એરલાઈન્સના ભાડા બમણાં:અમદાવાદથી મુંબઇ જતાં વરરાજા એરપોર્ટ પર જ અટવાયા, કહ્યું- ટેક્સીવાળા ₹30 હજાર ભાડું માગે છે

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ ઇન્ડિગોએ મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે 15 ડિસે. સુધીમાં…

Read More
exam update

ગુજરાત શિક્ષણ બોર્ડે ભૂલ સુધારી, પેપરની તારીખ બદલી- ધોરણ 10-12ની ધુળેટીના દિવસે લેવાનારી પરીક્ષા હવે 18 અને 16 માર્ચ લેવાશે, જુઓ નવું ટાઈમટેબલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે. ધુળેટીની જાહેર રજામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાની તારીખ હવે બદલી દેવામાં આવી છે. ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 4 માર્ચના બદલે હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની 4 માર્ચે યોજાનારી નામાના મૂળતત્વો, ઇતિહાસ, જીવવિજ્ઞાન…

Read More

જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતા મામલો બિચક્યો, આપ નેતાઓએ કાર્યકરને લમધારી નાખ્યો

જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. જૂતા ફેકનારને સારવાર અર્થે ખસેડાયોછત્રપાલસિંહ જાડેજા નામના…

Read More
સુપરહિટ ફિલ્મ… પણ મકાનમાલિક મુશ્કેલીમાં

“100 કરોડની ‘લાલો’ ફિલ્મ, પણ શૂટિંગ હાઉસનો માલિક આર્થિક મુશ્કેલિયામાં”

‘લાલો’ ફિલ્મની પાછળનું દુઃખદ સત્ય: “100 કરોડ કમાયા… પણ અમને કંઈ મળ્યું નહીં”: શૂટ થયેલા ઘરના માલિકની વ્યથિત વાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ‘લાલો’ ફિલ્મે 100 કરોડથી વધુ કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. રિલીઝના 54 દિવસ પછી પણ ફિલ્મ સિનેમાઘરોમાં હાઉસફુલ ચાલી રહી છે. પરિવાર સાથે જોવા જતી પબ્લિક, ફિલ્મના ડાયલોગ્સ, ગીતો અને પાત્રો…

Read More