Headlines

માયાભાઈ આહીરના પુત્રની SITએ સાડા ત્રણ કલાક પૂછપરછ કરી:જયરાજે કહ્યું- ‘મને જે સવાલ કરાયા તેના જવાબ આપ્યા’, બગદાણા હુમલા કેસમાં નવાજૂનીના એંધાણ

બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતા SIT સમક્ષ હાજર થયા હતા. બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT દ્વારા જયરાજ આહીરની સાડા ત્રણ કલાક લાંબા મેરેથોન પૂછપરછ કરી હતી. SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT…

Read More

મુંબઈના સિંગર પર અમદાવાદમાં હુમલો:કાનનો પડદો ફાટ્યો, મોઢે ટાંકા આવ્યા; સોંગ ક્રેડિટની અદાવતમાં ગુજરાતી સિંગર સહિત 6 લોકો હથિયાર વડે તૂટી પડ્યા

અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં કરાયેલા આ હુમલામાં હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અને કાનનો પડદો ફાટી જતાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે…

Read More

‘2029માં પણ મોદી જ PM, રાહુલ બાબા હારથી ન થાકો’:શાહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- જનતાને જે ગમે, તેનો વિરોધ કરો, તો મત ક્યાંથી મળે; 27 કિમી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ

અમિત શાહે પ્રહાર કરતાં કહ્યું, રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી પણ નથી. જેને પોતાની પાર્ટી વાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિમી લાંબી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ…

Read More

અમદાવાદમાં ચાર યુવતીઓ વચ્ચે મારામારી, જાહેરમાં તમાશો:યુવકે યુવતીને આગળ બેસાડી જોખમી રીતે એક્ટિવા ચલાવ્યું, કાયદાના લીરેલીરા ઉડાવતા 3 વીડિયો સામે આવ્યા

અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વાઇરલ થયેલા ત્રણ વીડિયો સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં સિંધુભવન રોડ ઉપર એક બાઈક પર બે યુવકો જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જ્યારે સિંધુભવન રોડ પરના બીજા વીડિયોમાં યુવતીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ હતી. જ્યારે ત્રીજા વીડિયોમાં એક એક્ટિવા પર યુવકે જોખમકારક રીતે યુવતીને બેસડાઈ વાહન ચલાવી…

Read More

PM મોદી અને અદાણીનો ડીપફેક વીડિયો 48 કલાકમાં હટાવવા આદેશ:જયરામ રમેશ, પવન ખેડા સહિતના કોંગ્રેસ નેતાઓને અમદાવાદ સિવિલ કોર્ટની શો-કોઝ નોટિસ

અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવાના જવાબમાં અમદાવાદ જિલ્લા સિવિલ કોર્ટે કોંગ્રેસ અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ડીપફેક વીડિયો 48 કલાકમાં દૂર કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે INC અને તેના નેતાઓને 29 ડિસેમ્બર…

Read More

બિહાર ચૂંટણી 2025: બીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 31.38% મતદાન નોંધાયું; કિશનગંજમાં સૌથી વધુ ઉત્સાહ, મધુબનીમાં સૌથી ઓછું

બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ છે. ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા સવારે 11 વાગ્યા સુધીના આંકડા મુજબ, સરેરાશ 31.38 ટકા મતદાન નોંધાયું છે.

Read More

ઇતિહાસના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો: ઈરાનની રાજધાની તેહરાનમાં પીવાનું પાણી ખતમ થવાની અણી પર; ડેમમાં 10%થી ઓછું ‘મૃત જળ’

ઇરાન: મધ્ય પૂર્વમાં આવેલું ઈરાન હાલમાં તેના ઇતિહાસના છ દાયકાના સૌથી ભીષણ દુષ્કાળના આરે ઊભું છે, જેના કારણે રાજધાની તેહરાનમાં પીવાનું પાણી લગભગ ખતમ થવાની અણી પર છે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ગંભીર ચેતવણી આપી છે કે જો નવેમ્બરના અંત સુધીમાં પૂરતો વરસાદ નહીં થાય, તો સરકારે પાણીની સપ્લાય મર્યાદિત કરવી પડશે અને જો પરિસ્થિતિ વધુ…

Read More

લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ અફરાતફરી, સમગ્ર દિલ્હીમાં હાઈઍલર્ટ

રાજધાની દિલ્હીમાં આજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં રોડ પર ઊભેલી એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી; વિસ્ફોટ બાદ લાગેલી ભીષણ આગમાં આસપાસ ઊભેલી અન્ય ત્રણ કાર પણ બળીને ખાક થઈ ગઈ હતી અને પ્રાથમિક અહેવાલ મુજબ બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા…

Read More

તિરૂપતિ મંદિર ‘પ્રસાદ કૌભાંડ’: 5 વર્ષમાં ₹250 કરોડનું 68 લાખ કિલો નકલી ઘી

શના સૌથી ધનિક મંદિર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના પવિત્ર લાડુ પ્રસાદમાં છેલ્લા પાંચ વર્ષથી ભયાનક છેતરપિંડી થઈ રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો CBIએ કર્યો છે. ઉત્તરાખંડની ‘ભોલે બાબા ઓર્ગેનિક ડેરી’એ દૂધ કે માખણ ખરીદ્યા વિના પામ ઓઈલ અને રસાયણોનો ઉપયોગ કરીને બનાવેલું 68 લાખ કિલો નકલી ઘી ₹250 કરોડના ખર્ચે TTD ને સપ્લાય કર્યું હતું….

Read More

દયાભાવ રાખવો ભારે પડ્યો! આશરો આપેલ મિત્રએ જ વિશ્વાસઘાત કર્યો: વડોદરામાં પતિ-મિત્રના આડાસંબંધથી મહિલાના લગ્ન તૂટવાની અણી પર

વડોદરા: મદદના બદલે સંબંધોમાં ભંગાણ વડોદરા: એક દયાભાવના કૃત્યની શરૂઆત શહેરની એક મહિલા માટે તેના લગ્નજીવનના અંતનું કારણ બની હોત. સમા વિસ્તારની રહેવાસી નીતા (નામ બદલ્યું છે)એ 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો, જ્યારે તેને જાણ થઈ કે તેના પતિએ તેની અંગત મિત્ર સાથે જ આડાસંબંધ વિકસાવ્યા હતા – એ જ મિત્ર જેને નીતાએ મદદ કરવા…

Read More